એલર્જી સહિત પાંચ બીમારીમાં લાભકારક છે આદુ

આદુંનો આપણે રોજિંદા ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. તે અનેક ગંભીર તકલીફોને પણ દૂર કરે છે.
benefits of ginge

એલર્જી : ધૂળ, માટી, પ્રદૂષણ અને દૂષિત હવા એલર્જી થવાનાં મુખ્ય કારણો છે. એલર્જીની સાથે  શરદી-સળેખમ દૂર કરવામાં પણ આદું ખૂબ મદદરૂપ થાય છે. એમાં રહેલા એન્ટિ-હેસ્ટામાઇન એલર્જીની અસરને દૂર કરવામાં મદદ કરે છે. ચક્કર આવતાં હોય ત્યારે તેનું સેવન લાભ કરે છે.

પાચન સુધારે : તે પિત્તાશયમાં પાચકરસ વધારે ઉત્પન્ન કરે છે, જેથી પાચનક્રિયા ઝડપી થાય છે. આદું નિયમિત ખાવાથી પાચનશક્તિ સારી રહે છે. આદુંના રસને આંબળા અને મધ સાથે લઈ શકાય છે.

પેટના દુખાવામાં રાહત: માસિકસ્રાવ દરમિયાન સ્ત્રીઓને પેટનો દુખાવો થતો હોય છે. એવામાં આદુંવાળી ચા મદદરૂપ છે. માસિકસ્રાવ દરમિયાન આદુંનું સેવન કરવાથી પેટમાં થતો દુખાવો દૂર થશે.

થાક કરે દૂર : કેટલાક લોકોને સવારે ઊઠતાં જ માથું દુખવા કે ઊબકા આવવા જેવી ફરિયાદ રહે છે. ખાસ કરીને સગર્ભામાં આ સમસ્યા વધારે હોય છે. આદુંનું સેવન કરવાથી શરીરને વિટામિન-6 મળે છે, જેથી સવારે લાગતા થાક, માથાનો દુખાવો, ઊબકામાં રાહત રહે છે.

Comments

Popular posts from this blog

માનુષી ચીલ્લર મિસ વર્લ્ડ 2018 માં કાળો સબાસાચી લેહેન્ગામાં અટકી ગયા.

પ્રેગ્નન્સીમાં દાડમના સેવનથી થાય છે આટલા ફાયદા

સ્વાદિષ્ટ દહીંમાં છે લાજવાબ ગુણો, ઘટાડે છે મેદસ્વિતા, જાણો તેના ફાયદા